૨ ઓક્ટોબર ૨૦૨૫, ગુરુવાર
| વિક્રમ સંવત | ૨૦૮૧ |
|---|---|
| તિથિ | દશમ સાંજે ૭:૧૧ સુધી |
| નક્ષત્ર | ઉત્તરાષાઢા સવારે ૯:૧૩ સુધી, પછી શ્રવણ |
| ચંદ્ર રાશિ | મકર |
| ઋતુ | શરદ |
તહેવારો અને રજાઓ
ગાંધી જયંતી
ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધી નામથી પણ ઓળખાય છે, તેમનો જન્મ દિવસ દર વર્ષની ૨જી ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ એમને માટે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે.
વિજ્યાદશમી
દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.
લાલ બહાદુર શાસ્ત્રી જયંતી
ચોઘડિયાં
ગુરુવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.
દિવસનાં ચોઘડિયાં
- ૧ શુભ
- ૨ રોગ
- ૩ ઉદ્વેગ
- ૪ ચલ
- ૫ લાભ
- ૬ અમૃત
- ૭ કાળ
- ૮ શુભ
રાત્રિનાં ચોઘડિયાં
- ૧ અમૃત
- ૨ ચલ
- ૩ રોગ
- ૪ કાળ
- ૫ લાભ
- ૬ ઉદ્વેગ
- ૭ શુભ
- ૮ અમૃત
શુભ ચોઘડિયું · અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)
રોજનું પંચાંગ તમારા ફોનમાં
તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.
એપ ડાઉનલોડ કરો